Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠશે

મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા 1111 દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવશે

વિરમગામ:   અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે 1111 દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવશે. દેવ દિવાળીએ 1111  દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠશે. આ ઉપરાંત  શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવશે.

 દિવાની રોશની થી ઝળહળતા મુનસર તળાવ ને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી મોટી સંખ્યામાં લોકો  ઉમટી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવ ની ફરતે 360 થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળ થી ઘંટનાદ થતો હતો. દરવર્ષે દેવદિવાળીના દિવસે મોડી સાંજે થી ઐતિહાસિક મુનસર તળાવ ફરતે દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની જાય છે

(7:32 pm IST)