Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમદાવાદના રાણીપ વિસ્તારમાં દોઢ વર્ષીય બાળકીનું અપહરણ કરનાર નરાધમની પોલીસે અટકાયત કરી

અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાંથી અપહરણ કરાયેલ દોઢ વર્ષની બાળકીનો જાગૃત નાગરિકના કારણે સહીસલામત છૂટકારો થયો હતો. પોલીસે કપડવંજના રહીશ સંજય પરમારની અટકાયત કરીને અપહરણ કરવાના કારણો અંગેની તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.

મળતી વિગતોમાં અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાંથી આજે સવારે સાડા છ વાગ્યાની આસપાસ દોઢ વર્ષની બાળકીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યાની સાબરમતી પોલીસને જાણ થઇ હતી. જેથી પોલીસે તાત્કાલિક આસપાસના ફૂટેજ મેળવવા સહિત બાળકીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

(6:02 pm IST)