Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જય શ્રી રામ....મીઠુ મોઢું કરી ત્રણ દાયકાની બાધા પૂરી કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટઃ. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અયોધ્યામાં રામ મંદિર અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા ત્રણ દાયકા જૂની મિઠાઈ નહિ ખાવાની બાધા પુરી કરી છે. ૧૯૯૦માં અડવાણીજીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા યોજેલ તે વખતે ભૂપેન્દ્રસિંહે વિવાદીત સ્થળે મંદિર નિર્માણનો માર્ગ મોકળો ન થાય ત્યાં સુધી મિઠાઈ નહિ ખાવાની બાધા રાખી અત્યાર સુધી પાળી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે પોતાના બંગલે તેમણે ૯૩ વર્ષના માતુશ્રી કમળાબા અને પૌત્રી યશોધરાબાના હસ્તે મિઠાઈ ખાઈ બાધા પુરી કરી હતી. મંત્રીશ્રીએ અન્ય લોકોને પણ મોઢું મીઠુ કરાવી ખુશાલી વ્યકત કરી હતી.

(12:53 pm IST)