Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સલામત સવારી ;એસટીની ચાલુ બસે અચાનક ટાયર ટાયર નીકળી ગયું : મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

કપરાડાના નાનાપોંઢા ધરમપુર રોડ પાસે ટાયર નીકળ્યું : ચાલકની સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

વલસાડ : સલામત સવારીની ટેગલાઈન ધરાવતી  એસટી બસનું ટાયર નીકળી ગયું છે. ચાલુ બસે અચાનક બસનું ટાયર નીકળી જતા મુસાફરોના જીવ તાળવે બંધાયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ધરમપુર રોડ પાસે બસનું ટાયર નીકળી ગયું છે. નાસિકથી વલસાડ તરફ આવી રહેલી બસનું ટાયર નીકળી ગયું હતું. જો કે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી દુઘર્ટના ટળી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

(10:56 pm IST)