Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સાણંદ અને માંડલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજાયું

શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ પથ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ પર પથ સંચલનનુ વિવિધ સ્થાન પર આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત સાણંદ અને માંડલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજાયું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહીને નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું. પથ સંચલનના લીધે સાણંદ અને માડલના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રવાદી વાતાવરણ સર્જાયું હતું. ઠેક ઠેકાણે નગરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા પુષ્પ વૃષ્ટિ કરી ને આ સંચલનનું સ્વાગત કરવા માં આવ્યું હતું. શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ પથ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ અને જગદીશ રાવળ - ટ્રેન્ટ)

(10:03 pm IST)