Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમદાવાદના કાલુપુરની દોષીવાળાની પોળમાં એક દુકાનમાં ગેસના 3 સિલિન્ડરમાં બ્લાસ્ટ

ફાયર વિભાગની સમય સૂચકતાને લીધે મોટી હોનારત ટળી ; 6 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી

અમદાવાદના કાલુપુરની દોષીવાળાની પોળમાં આગ ભભૂકી છે  એક દુકાનમાં ગેસના 3 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો  ફાયર વિભાગની સમય સૂચકતાને લીધે મોટી હોનારત ટળી હતી અચાનક બ્લાસ્ટ થવાની ઘટના બનતા આસપાના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા તો સમગ્ર વિસ્તારમાં દોડધામ પણ મચી જવા પામી હતી. જો કે, સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ કુલ 6 જેટલા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે આગમાં 1 શખ્સ દાઝી જતા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લાસ્ટ સમયે કુલ 14 લોકો કામ કરી રહ્યા હતા, જેમાં બ્લાસ્ટ થતા જ બધા લોકો દોડ્યા હતા પરંતુ 13 લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને 45 વર્ષીય મન્સૂરી પારોહી નામના વ્યક્તિ આગને પગલે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે ખસેડવામાં આવ્યા હતા.

(10:59 pm IST)