Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નવા ર૧૪ CNG પંપને મંજૂરી

વાહન ચાલકોને કતારમાં ઉભા રહેવામાંથી છૂટકારો મળશેઃ હજારો લોકોને રોજગારી : મુખ્યમંત્રીના હસ્તે મંજૂરી પત્ર અર્પણઃ કુલ ૧૦૦૦ પંપીંગ સ્ટેશન ખોલવાનો લક્ષ્યાંક

ગાંધીનગર, તા.૧૧: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા CNGનો વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સી.એન.જી.ના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે.

મુખ્યમંત્રીશ્રી CNG સહભાગી યોજના અન્વયે રાજયમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪ CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, ગુજરાતે CNGદ્ગક્ન ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં ૧૮૦૦ જેટલા CNG સ્ટેશનમાંથી ૩૧ ટકા એકલા ગુજરાતમાં એટલે કે પપ૮ ઘ્ફઞ્ સ્ટેશન સ્થપાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઊપભોકતા- CNG વપરાશકારો, ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, આ નવા CNG સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં 'સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત'ની સંકલ્પના સાથે જૂન-ર૦૧૯માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩૦૦ જેટલા નવા CCNGNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.

માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે ર૧૪ સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી દ્યટના છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ર૦ર૦ સુધીમાં સમગ્ર રાજયમાં ૧ હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાના રાજય સરકારના લક્ષ્યાંકની વિગતો આપતાં ઉમેર્યુ કે, પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણ રહિત વિકાસની પ્રતિબધ્ધતા પાર પાડવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ નવા પંપ સંચાલકોને CNG પંપ ઝડપથી કાર્યરત કરીને ગુજરાતના CNG વાહનચાલકોને સરળતાએ અને ઝડપી CNG ઇંધણ મળી રહે તે માટેનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું.

જીએસપીસીના ચેરમેન અને રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન.સિંદ્યે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થ વ્યવસ્થાના નિર્માણમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજયમાં સૌથી વધુ ગેસ કનેકશન, ગેસ વિતરણ વ્યવસ્થા ઉભી કરાઇ છે અત્યાર સુધીમાં દર વર્ષે ૬૦ જેટલા સીએનજી સ્ટેશન સ્થપાતા હતા પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની દીર્દ્યદ્રષ્ટી અને પર્યાવરણની જાળવણી સાથે વિકાસની પરિભાષાને મૂર્તિમંત કરવા મુખ્યમંત્રીશ્રીએ ૩૦૦ થી વધુ સીએનજી પંપો શરૂ કરવાની ચેલેન્જ આપી હતી.

ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપનીએ તેને ઉપાડી લીધી અને આજે ૨૦૦થી વધુ સીએનજી પંપોની ફાળવણીના મંજૂરી પત્રો એનાયત થઇ રહ્યા છે તે બદલ તેમને અભિનંદન આપ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, આ સીએનજી પંપોના નિર્માણથી પર્યાવરણના જતનની સાથે સાથે નાગરિકોને સસ્તો અને ઝડપી ગેસ પુરવઠો વાહનો માટે મળતો થશે અને વર્ચ્યુઅલ સાયકલ બનતાં દ્યર આંગણે રોજગારી મળતી થશે તથા ગેસના ડીલરો, ગેસ કંપની અને ગ્રાહકોને ફાયદો થશે.

જીએસપીસીના મેનેજીંગ ડીરેકટર શ્રી સંજીવકુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મક્કમ નિર્ધાર કરીને જે આયોજન કર્યું છે તેના પરિણામે આજે રાજયમાં ગેસ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બની છે અને આ ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. રાજયના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૫ જિલ્લાઓમાં ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપની દ્વારા સીએનજી/પીએનજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સીએનજી પંપના નવા ડીલરોને મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ.કે.દાસ, ઉર્જા-પેટ્રો વિભાગના અગ્રસચિવ શ્રી સુનયના તોમર સહિત ઉચ્ચ અધિકારીઓ, પેટ્રોલીયમ એસોસિએશનના પદાધિકારીઓ, ગેસ વિતરણ સંસ્થાના ચેરમેનશ્રીઓ સહિત વિતરકો-ડીલરો

(4:21 pm IST)