Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં નવરાત્રિની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પાવન ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે રાસોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ૧૧૦૦ દીકરા-દીકરીઓ સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. સ્વામીના સાંનિધ્યમાં યોજાયેલ રાસોત્સવમાં સૌ કોઈ વિદ્યાર્થીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ રમ્યા હતા. આ પ્રસંગે સ્વામીજીએ વિદ્યાર્થીઓને નવરાત્રિ તથા રાસનું મહત્ત્વ કહી પ્રેરણા આપી હતી.

 

 

(11:55 am IST)