Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમદાવાદના મેમનગર ગ્રામ પંચાયતના મહિલા તલાટી શીતલ વેગડાનો આપઘાત

સ્યુસાઇડ નૉટમાં લાંચ રુશ્વત કેસમાં ખોટા ફસાવ્યાનો ઉલ્લેખ

અમદાવાદમાં મેમનગર ગ્રામ પંચાયતના મહિલા તલાટીએ આપઘાત કરી લીધો છે. મહિલા તલાટી શીતલ વેગડાએ નારોલ સ્થિત શ્રીનાથ રેસિડેન્સીમાં પોતાના નિવાસસ્થાને ગળેફાંસ ખાઈને જીવન ટૂંકાવ્યું છે

 . પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક મહિલા તલાટીની સુસાઈડ નોટ પણ મળી આવી છે.આ સુસાઈડ નોટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ખોટી ફરિયાદ કરીને તેમને ફસાવવામાં આવ્યા હતા. અત્રે ઉલેલ્ખનીય છે કે કે પાંચ મહિના અગાઉ તલાટી શીતલ વેગડા વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં છટકુ ગોઠવાયું હતું.

(10:04 pm IST)