Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમદાવાદના ગુરુકુળ નજીક અકસ્માતના જુદા-જુદા બે બનાવ: પુરપાટ ઝડપે જતી ગાડીએ એક્ટીવાને હડફેટે લેતા દંપતી સહીત દીકરીને ગંભીર ઈજાઓ: ફરાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં ગુરૃકુળ પાસે નીપજ્યું હતું. જ્યારે ન્યુ રાણીપમાં પુરઝડપે જઈ રહેલી સ્કોર્પિયો જીપે એક્ટીવાને ટક્કર મારી હતી. જેમાં એક્ટીવા પર જઈ રહેલા દંપત્તી અને તેમની દિકરી નીચે પટકાતા ત્રણેય ઘાયલ થયા હતા. અકસ્માત બાદ જીપ ચાલક ભાગી ગયો હતો.

પ્રથમ બનાવની વિગત મુજબ ગુરૃકુળમાં શાન્તમ એવન્યુ વિસ્રામનગર ખાતે રહેતા બિરેનભાઈ જે વસાવડા(૪૦) ૮ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે તેમની હોન્ડા અચેજ કાર લઈને વિશ્રામનગર રોડ પર હાઈલેન્ડ પાર્ક રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. પુરઝડપે જઈ રહેલા બિરેનભાઈએ કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે કોઈ યુવકે બિરેનભાઈની પત્ની અંકિતાબહેનને જાણ કરતા તે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું તો તેમના પતિને માથામાં ગંભીર ઈજા થયેલી હતી. સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બિરેનભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે એ ડિવીઝન ટ્રાફિક પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(5:45 pm IST)