Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાજ્યના મહેસૂલખાતા દ્વારા 88 મામલતદારોની ચૂંટણી પહેલા બદલી :51 નાયબ મામલતદારોને મામલતદાર બનાવ્યા

મામલતદારોની બદલીઓમાં રાજકોટના ચેતન ચાવડાને રાજકોટ ચૂંટણી વિભાગમાં અને ઉપલેટાના મહાદેવિયાને રૂડામાં મુકાયા : રાજકોટના કુલ 7 નાયબ મામલતદારોને પ્રમોશન

રાજકોટ : રાજ્યના મહેસુલ ખાતા દ્વારા 88 મામલતદરોની ચૂંટણી પહેલા બદલીઓ કરવામાં આવી છે, 51 નાયબ મામલતદારોને મામલતદાર તરીકેનું પ્રમોશન આપી દેવામાં આવ્યું છે,

   88 મામલતદારોની બદલીઓમાં રાજકોટના ચેતન ચાવડાને રાજકોટમાં ચૂંટણી વિભાગોમાં મુકાવમાં આવ્યા છે, ઉપલેટાના મહાદેવિયાને રૂડામાં મુકવામાં આવ્યા છે,

મામલતદાર તરીકે પ્રમોશનમાં રાજકોટના 7 નાયબ મામલતદારો સાંચલા ,લુના, રાદડિયા, નંદાણીયા,જિનોય, લુણાગરિયાને મામલતદાર બનાવાયા છે

 

(8:41 pm IST)