Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વચ્ચે 1140 દર્દીઓ સાજા થયા : નવા 1118 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 73,238 : વધુ 23 લોકોના મોત : મૃત્યુઆંક 2697

સુરતમાં સૌથી વધુ 236 કેસ, અમદાવાદમાં 150 કેસ ,વડોદરામાં 111 કેસ, રાજકોટમાં 87 કેસ, જામનગરમાં 44 કેસ, ભાવનગરમાં 56 કેસ,ભરૂચમાં 40 કેસ, પંચમહાલમાં 35 કેસ,અમરેલી અને ગાંધીનગરમાં 30-30 કેસ, મહેસાણામાં 29 કેસ,ગીર સોમનાથમાં 28 કેસ, મોરબીમાં 27 કેસ,કચ્છમાં 23 કેસ,દાહોદમાં 22 કેસ,વલસાડમાં 22 કેસ અને ખેડામાં 17 કેસ નોંધાયા : વધુ 1140 દર્દીઓ સાજા થતા કુલ 56416 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1118  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 73,238 થઇ છે જયારે આજે વધુ 23 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક  2697 થયો છે બીજીતરફ આજે વધુ 1140 દર્દીઓ સાજા થતા કુલ 56416 લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

   આજે નોંધાયેલા નવા 1118 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 177 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 139 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 236 છે  અમદાવાદ જિલ્લામાં 150 કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 111 કેસ, રાજકોટમાં 87 કેસ, જામનગરમાં 44 કેસ, ભાવનગરમાં 56 કેસ,ભરૂચમાં 40 કેસ, પંચમહાલમાં 35 કેસ,અમરેલી અને ગાંધીનગરમાં 30-30 કેસ, મહેસાણામાં 29 કેસ,ગીર સોમનાથમાં 28 ક્વેર્સ,મોરબીમાં 27 કેસ,કચ્છમાં 23 કેસ,દાહોદમાં 22 કેસ,વલસાડમાં 22 કેસ અને ખેડામાં 17 કેસ નોંધાયા છે 

(8:57 pm IST)