Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરતના અડાજણ પાટિયા નજીક મધ્યરાત્રીએ યુવાનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના અડાજણ પાટિયા ખાતે શીતલ ટોકીઝ પાસે ગઇકાલે મોડી રાત્રે યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી જોકે બીજાના ઝગડામાં વચ્ચે પડેલા યુવાનને લાત મારી ફેંકી દીધા હોવાના આક્ષેપ તેના પરિવારના સભ્યોએ કરતા તેનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, અડાજન પાટીયા પાસે શીતલ સિનેમા પાસે સાદિક અમદાવાદીની ચાલમા રહેતા 28 વર્ષીય રઈશ અનિષ શા ગઈકાલે રાત્રે રહસ્યમય સંજોગોમાં ઘર પાસે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તેના પરિવાર અને સંબંધીઓ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં અંગેના પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે આવી કાર્યવાહી કરી અને તેમનો મૃતદેહ નવી સિવિલ ખાતે મુકવામાં આવ્યો હતો.

(6:21 pm IST)