Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજ્ય સરકાર છેલ્લા 4 વર્ષના પાક વીમાનો હિસાબ જાહેર કરે :પરેશ ધાનાણીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ગુજરાત વિધાનસભાનાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સીએમને પત્ર લખ્યો છે. ખેડૂતો અને પાક વિમા મામલે ગુજરાત સરકાર દ્વારા કાલે જાહેર કરવામા આવેલ વિવિધ વિગતોની જાહેરાત પર આ જ મામલે વધુ સ્પષ્ટતા માંગતા સીએમને લખેલા પત્રમાં ખેડૂતોના પાક વીમાના આંકડા જાહેર કરવા માંગ કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો લેખીત માંગણી કરી છે કે ગુજરાત સરકાર પાછલા 4 વર્ષના પાક વીમાનો હિસાબ જાહેર કરે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને ખાસ કરીને પાક વિમો અને તેના પ્રિમિયમ તેમજ તેના દ્વારા મળતા લાભો મામલે મોટી જાહેરાત કરવામાં આવી હતી આ પૂર્વે પાક વિમા મામલે અનેક વખત સરકાર અને વિમા કંપનીની ભૂમીકા અને મનમાની મામલે આક્ષેપો થયા છે અને ખેડૂતોને અનેક વખત પાક વિમો યોગ્ય રીતે ચૂકવવામાં ન આવતો હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ગુજરાતનાં અનેક ભાગોમાં ઘણા વર્ષોથી પાક વિમાની રકમ ચૂકવવામાં જ નથી આવી તેવી ફરિયાદો પણ પૂર્વે ઉઠી છે.

પૂર્વની તમામ બાબતો અને હાલમાં જ સરકાર દ્વારા પાક વિમા મામલે કરવામાં આવેલી જાહેરનાં સંદર્ભમાં કોંગ્રેસનાં વિઘાનસભાનાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ફરી એક વખત સરકારને સાણસામા લેતી વિગતો જાહેર કરવાની વિનંતી સાથે માંગણી કરતા પત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને લખ્યો છે.

(12:49 pm IST)