Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

પંચમહાલના પાલીખંડાના સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ મંદિરની શોભા :105 કિલોના નાગદેવતા થશે આરૂઢ

ધારાસભ્ય જેઠા ભરવાડ આ શિવલીંગ પર તાંબાને સ્થાને ચાંદીના બનાવી આપશે

 

પંચમહાલના પાલીખંડાના સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ મંદિરમા 118 વર્ષ પહેલા શહેરના વતની પ્રાણલાલ વ્યાસે કારીગરો દ્વારા તાંબાના નાગને મંદિરના શિવલીંગ પર આરૂઠ કર્યો હતો. આવા જ બીજા એક શિવ ભક્ત અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ આ શિવલીંગ પર તાંબાને સ્થાને ચાંદીનો 105 કિલોના નાગદેવતા બનાવડાવીને શ્રાવણના પ્રથમ દિવસે બેસાડીને શિવબાબાની શોભા વધારશે.

  આ પ્રસંગ દરમ્યાન હોમાત્મક લધુરૂદ્ર અને સૌ ભકતો માટે ભંડારાનું આયોજન પણ કરવામા આવ્યું છે.

(11:06 pm IST)