Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

આણંદના રાસનોલમાં અગમ્ય કારણોસર યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

આણંદ:જિલ્લાના ખંભોળજ  તાબે રાસનોલ ગામે રહેતી એક યુવતિએ ઝેરી દવા પી લઈ જીવનનો કરુણ અંત આણ્યો હતો. આ યુવતિ એમકોમમાં વિદ્યાનગર ખાતે આવેલ કોલેજમાં છેલ્લુ વર્ષ ભણી રહી હતી. પરંતુ પિતાની પરિસ્થિતિને લઈ નોકરી ન મળતા અંતે આ કરુણ પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનામાં ખંભોળજ પોલીસ મથકે ફરજ નિભાવતા તપાસ કરતા મહેશભાઈના જણાવ્યા મુજબ આંકલાવના રાસનોલ ગામે રહેતી ખુશ્બુ વિનોદભાઈ પરમાર ઉ.વ.૨૧એ આજ રોજ વહેલી સવારના સુમારે તેના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ દવા ગટગટાવી લીધા બાદ તેના પરીવારજનોેને તેની જાણ થતા જ આણંદ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. 

 

 

(5:11 pm IST)