Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નડિયાદના ચલાલી નજીક કિશોરી પર બળાત્કાર ગુજારનાર બંને નરાધમોની ધરપકડ

નડિયાદ:તાલુકાના ચલાલી નજીક આવેલ નવાપુરામાં રહેતી ૧૬ વર્ષીય કિશોરી બપોરના સમયે રોહિતવાસ નજીકથી પસાર થતી હતી. તે વખતે બે મિત્રોની નજર તેના પર પડતાં તેને ઉંચકી જઈ ઓરડીમાં લઈ જઈ તેની પર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. અને આ વાતની જાણ કોઈને કહીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપતાં કિશોરી સાત દિવસ સુધી ચુપ રહ્યાં બાદ તેની માતાને આ અંગેની જાણ કરતાં ચકલાસી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગત રાત્રે આ બંને મિત્રોને પકડી પાડી તપાસ હાથ ધરી છે. 

 


આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચલાલી તાબે નવાપુરા આવ્યું છે.આ નવાપુરામાં હેમંતભાઈ ચંદુભાઈ રોહિત અને મનોજભાઈ ઉર્ફે કાળીયો જયંતિભાઈ રોહિત રહે છે. ગત તારીખ ૩-૮-૧૮ ના બપોરના એક કલાકે તેઓ રોહિતવાસ નજીક હતાં તે સમયે એક ૧૬ વર્ષીય કિશોરી ત્યાંથી પસાર થતી હતી. બપોરના સમયે આ સ્થળે કોઈ ના હોઈ આ બંને જણાં એ તેનો પીછો કરી એક ઓરડી નજીક આવતાં તેણીનું મોઢું દબાવી ઉંચકી જઈ ઓરડીમાં લઈ ગયા હતાં. અને ત્યાં તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. અને એવી ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરીશ તો તને તેમજ તારા કુટુંબના સભ્યોને ચપ્પાંથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈશું. ઘટનાથી ગભરાઈ ગયેલી કિશોરીએ સાત દિવસ આ વાત કોઈને કરી નહીં. બાદમાં તેની માતાને જણાવતાં આ બાબતે તેની માતાએ ચકલાસી પોલીસમાં ફરીયાદ આપી છે. પોલીસે ઈપીકો કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની ગત રાત્રિના ધરપકડ કરી છે. 
 

(5:09 pm IST)