Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

એન.આઇ.એમ.સી.જે.ના નિયામક ડો. શિરીષ કાશીકરની ઇગ્નુના પ્લાનીંગ બોર્ડમાં નિમણૂંક

રાજકોટ, તા. ૧૧ : અમદાવાદની ગુજરાતની નામાંકિત પત્રકારત્વ શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ના નિયામક ડો. શિરીષ કાશીકરની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) ના પ્લાનિંગ બોર્ડના સભ્યપદે નિમણૂંક થઇ છે. તેમનો આ પદે કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.

IGNOU ના સંચાલનની દૃષ્ટિએ ત્રણ મહત્વના ઘટકો છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ, પ્લાનીંગ બોર્ડ અને એકેડેમીક કાઉન્સીલ, પ્લાનીંગ બોર્ડ એ યુનિવર્સિટીના નીતિગત કાર્યક્રમ અને પ્રવૃત્તિઓનું નિર્ધારણ કરતુ મહત્વપૂર્ણ ઘટક છે. IGNOU ના માધ્યમથી દેશભરમાં ૩૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ૬૭ પ્રાદેશિક કેન્દ્રો અને ૩૦૦૦ શિક્ષણ સહાય કેન્દ્રો દ્વારા વિવિધ વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે. વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઇ જૈન અને ટ્રસ્ટીગણે આ પ્રતિષ્ઠિત પદ પર નિમણૂંક બદલ ડો. કાશીકરને અભિનંદન પાઠવ્યા હતા.

(11:46 am IST)