Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અમદાવાદમાં નાના-મોટા 19,000 દબાણો હટાવાયા :20મીએ વસ્ત્રાલ તળાવમાં કાર્નિવલ ઉજવાશે

અમદાવાદમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધી વિવિધ પ્રકારના નાના મોટા મળીને 19000થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે.સાથે જ પાર્કિંગની સુવિધા મામલે એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 48 પાર્કિંગ પ્લોટ અને 5 મલ્ટીસ્ટોરીડ પાર્કિંગ બનાવવાના નિર્ણયને કારોબારી સમિતીમાં સત્તાવાર મંજૂરી આપી દેવાઈ છે તેમજ આગામી 20મી ઓગષ્ટ દશામાંના વ્રતના દિવસે વસ્ત્રાલ તળાવ ખાતે કાર્નિવલની ઉજવણી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.

(6:33 pm IST)