Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુરતના અડાજણમાં પરિણીતાએ અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું ;સાસરિયાપક્ષના છ લોકોની ધરપકડ

દહેજ અને દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો :પાંચ મહિલા અને યુવક્ની ધરપકડ કરાઈ

 સુરતના અડાજણમાં સ્નેહલ નાયકા નામની પરિણીતાએ અગ્નિસ્નાન કરી લેતા તેનુ મોત નિપજ્યુ હતું પરિણીતાનું મોત બાદ તેના પરિજનોએ સાસરીયા પક્ષ સામે ફરિયાદ કરી હતી ફરિયાદને ધ્યાનમાં લઇ પોલીસે ગુનો નોંધી સાસરિયા પક્ષની પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ કરી છે..

 પોલીસે તમામ સામે દહેજપ્રથા અને દુષ્પ્રેષણ અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સ્નેહલના લગ્ન બે વર્ષ અગાઉ અડાજણના હરિચમપા સોસાયટીમાં રહેતા ચીન્ટુ નાયકા સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પરિણીતાને માનસિક રીતે ત્રાસ આપવાનું શરૂ કરાયું હતુ. ચારિત્ર્ય પર શંકા કરી ગંભીર આરોપ મુકવામાં આવ્યા હતા.

(7:45 pm IST)