Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુરત અગ્નિકાંડ : ગેરકાયદે બાંધકામ હોવાનું સરકારે સ્વીકાર્યું : વાવના ધારાસભ્ય ગેની બેને ઉઠાવ્યો મુદ્દો

સુરતની ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ઘટનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો  વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ મામલે સરકારને પ્રશ્ન પુછ્યા. તેના જવાબમાં સરકારે સ્વિકાર કર્યો કે, ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યુ અને તેને દુર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે સરકારે સુરત મનપાના 6 અધિકારીઓને ફરજ પરથી મોકૂફ કરાયા છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. અને બિલ્ડર વિરુદ્ધ પણ પોલીસ ફરીયાદ કરાઇ છે.

(1:38 pm IST)