Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના રસીકભાઇ પટેલનું હ્રદયરોગના હુમલાથી કરૂણમોત : ઘેરોશોક

હેલિકોપ્ટર મારફતે તેમનો નશ્વર દેહ વડોદરા લેવાશે.

વડોદરા :અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના રસિકભાઈ પટેલનું  હૃદય રોગના હુમલાથી યાત્રાળુનું મોત નિપજ્યું છે. આજે તેમના મૃતદેહને વડોદરા ખાતે લવાશે.

   મૂળ વડોદરાના અમરનાથ યાત્રા કરી પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. તેમને હાર્ટ અટેક આવ્યો હોવાનું કહેવાય છે.

  વડોદરાના તરસાલી વિસ્તારના રહેવાસી 62 વર્ષીય રસીક ભાઈ પટેલ પવિત્ર અમરનાથ યાત્રાએ ગયા હતાં. તેમને અમરનાથના દર્શન હેમખેમ રીતે પાર પાડ્યા હતાં. ત્યાર બાદ ત્યાંથી પરત ફરતી વખતે અચાનક તેમની છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને સારવાર આપવામાં આવી હતી.

સારવાર દરમિયાન રસીક ભાઈનું નિધન થયું હતું. રશિક ભાઈને હ્યદયરોગનો હુમલો આવ્યો હતો જેના કારણે તેમનું નિધન થયું હતું. હેલિકોપ્ટર મારફતે તેમનો નશ્વર દેહ આજે વડોદરા લેવાશે. ત્યાર બાદ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે.

આ અગાઉ રાવપુરાના 40 વર્ષીય અંકિત ચોકસીનું પણ અમરનાથ યાત્રા દરમિયાન બીમારીને કારણે મ્ર્ત્યું થયું હતું.

(12:25 pm IST)