Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પાલનપુરમાં અંધશ્રદ્ધાનો વિચિત્ર કિસ્‍સો બહાર આવ્‍યોઃ સાપ કરડતા મહિલાને હોસ્‍પિટલમાં લઇ ગયા સાથે-સાથે મારી નાખેલ સાપને પણ લઇ ગયા

પાલનપુર :પાલનપુરથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાલપુરના સલ્લા ગામમાં એક મહિલાને સાપ કરડ્યો હતો. પરંતુ મહિના પરિવારજનોએ સાપને મારીને તેને હોસ્પિટલમાં મહિલા સાથે લઈને પહોંચ્યા હતા.

પાલનપુરના સલ્લા ગામે રહેતી એક મહિલા લિંબુડી વીણવા ગઈ હતી. ત્યારે તેને અચાનક સાપ કરડી ગયો હતો. ત્યારે તેના પરિવારજનો મહિલાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. પરંતુ તેઓ મહિલાની સાથે રહેલો થેલો તેમણે ડોક્ટરને બતાવતા ત્યાં હાજર તમામ ડોક્ટર અવાક રહી ગયા હતા. કારણ કે, થેલીમાં મૃત સાપ લાવ્યા હતા.

બન્યું એમ હતું કે, મહિલાને સાપ કરડતા સ્થાનિક લોકોએ સાપને લાકડીઓથી માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ મહિલાના પરિવારજનો દ્વારા મૃત સાપને થેલીમાં ભરી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં વોડમાં લાવવામાં આવ્યો હતો. તબીબો આ થેલી જોતા જ રહી ગયા હતા.

કોઈપણ રોગના ઈલાજ માટે આજે વિજ્ઞાને ઘણી જ પ્રગતિ કરી છે તેમ છતાં આ પ્રકારનો મામલો સામે આવ્યો છે જે આપણાં દેશમાં હજુ કેટલી અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે દર્શાવે છે. આજે પણ દેશના અનેક ગામડાઓમાં સાપ કરડે તો ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ જવામાં આવે છે. તો કેટલાક લોકો મદારી પાસે પહોંચે છે.

(6:02 pm IST)