Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રાજમાર્ગ પર પાણી ફરી વળતા નવસારી નેશનલ હાઈવે પર ટ્રાફીક જામ : ૧૦-૧૦ કિ.મી.ના વાહનોની કતારો લાગી

રાજકોટ : નવસારી પંથકમાં ગઈકાલથી મેઘરાજાએ મન મૂકીને સમગ્ર પંથકમાં ભારે 'હેત' વરસાવ્યો છે. અનરાધાર ૭ ઈંચથી વધુ વરસાદ પડતા નવસારી અને જલાલપોર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. સવારે ૧૦ વાગ્યાથી નેશનલ હાઈવે પર ૨-૨ ફૂટ પાણી ફરી વળતા રાજમાર્ગ પર વાહનચાલકો ફસાયા છે. પાણી ફરી વળતતા ૧૦ - ૧૦ કિ.મી. સુધીનો ટ્રાફીક જામ સર્જાયો છે. વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં નવસારી હાઈવે પર વાહનોનો ટ્રાફીક જામ નજરે પડે છે.

(12:26 pm IST)