Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રાજ્યના ટીડીઓની બદલી : શહેરાના તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાને દાંતીવાડા મુકાયા : ધ્રાંગધ્રાના કુ, ઝરીના અન્સારીની શ્રીમતી ઓઝાના સાથે શહેરા બદલી

હર્ષવર્ધનકુમાર જાડેજા ( તાલુકા વિકાસ અધિકારી ધોરાજી ) અને કુ, મીરા સોમપુરા ( લોધીકા તાલુકા વિકાસ અધિકારી ) ની બદલીનો હુકમ રદ કરાયો

અમદાવાદ : રાજ્યના પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ટીડીઓની બદલીના હુકમ થયા છે જેમાં  શહેરાના તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાને દાંતીવાડા મુકાયા છે જયારે ધ્રાંગધ્રાના કુ, ઝરીના અન્સારીની શ્રીમતી અંકિતાબેન ઓઝાના સાથે શહેરા બદલી  કરાઈ છે

 આ ઉપરાંત હર્ષવર્ધનકુમાર જાડેજા ( તાલુકા વિકાસ અધિકારી ધોરાજી ) અને કુ, મીરા સોમપુરા ( લોધીકા તાલુકા વિકાસ અધિકારી ) ની બદલીનો હુકમ રદ કરાયો છે

(10:58 pm IST)