Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કાલે કાગવડ ખોડલધામમાં પાટીદારોની છ દિગજ્જ સંસ્થાની મીટિંગ : લેઉઆ અને કડવા પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિ

વિશ્વઉમિયાધામ, ઉમિયાધામ ઉંઝા, સરદારધામ, ઉમિયાધામ સિદસરના પ્રમુખો હાજર રહેશે

અમદાવાદ : કાલે ખોડલધામમાં લેઉઆ અને કડવા પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. શનિવારે સવારે 11 વાગ્યે કાગવડ ખોડલધામ ખાતે પાટીદારોની 6 સંસ્થાની મિટિંગ યોજાશે જેમા દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહેશે. પાટીદારોની 6 દિગ્ગજ સંસ્થાઓના પ્રમુખો સહિતના દિગ્ગજોની કાલે ખોડલધામ ખાતે મિટિંગ થશે. આ મિટિંગમાં વિશ્વઉમિયાધામ, ઉમિયાધામ ઉંઝા, સરદારધામ, ઉમિયાધામ સિદસરના પ્રમુખો હાજર રહેશે.

આ મિટિંગમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલ, ઉમિયાધામ ઊંઝાના મંત્રી દિલીપભાઇ નેતાજી, ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા એવમ્ સરદારધામ અમદાવાદના પ્રમુખ ગગજીભાઇ સુતરીયા સહિતના દિગ્ગજો હાજર રહેશે.

 સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાસજાળીયાએ જણાવ્યું હતું કે, આ મિટિંગનું આયોજન બંને સમાજના ઉત્થાન માટે કરવામાં આવી છે અને મિટિંગમાં સામાજીક મુદ્દાઓની ચર્ચા થશે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ, અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલે સંદેશ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મિટિંગનું આયોજન પાટીદાર સમાજના સર્વાંગીણ વિકાસ માટે કરવામાં આવ્યું છે.

(10:08 pm IST)