Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સાણંદ તાલુકાના તેલાવ ગામ નજીક નર્મદા કેનાલમાંથી 2 અજાણ્યા યુવકોની લાશ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી

સાણંદ : સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસેથી નીકળતી નર્મદા કેનાલમાંથી આજે બપોરે વાગ્યા આસપાસ આશરે ૨૫થી ૩૦ વર્ષીય બે અજાણ્યા યુવકોની લાશ મળી આવેલ હતી.

નર્મદા કેનાલના ચોકીદારને જાણ થતાં સાણંદ પોલીસને જાણ કરતા સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઇ અને કમલભાઇ ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢવાની કામગીરી, પોલીસને જાણ થતા લાશને કેનાલમાંથી બહાર કાઢી, હાલ પોલીસે લાશને સાણંદ સિવિલ ખાતે પી.એમ. માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)