Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વડોદરાની હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવેલ ભોજનમાંથી ઈયળ નીકળતા ચકચાર

વડોદરા: શહેરમાં કેએફસીના રેસ્ટોરન્ટમાં બર્ગરમાંથી જીવતી ઇયળ નિકળવાની ઘટના રવિવારે બની હતી. તે દિવસે બપોરે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં વંદો નિકળવાની ઘટના પણ બની હતી જે અંગે દર્દીના સંબંધી દ્વારા આજે કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવતા મામલો બહાર આવ્યો છે જો કે આ બન્ને મામલામાં કોર્પોરેશનના ફુડ ઇન્સ્પેક્ટરે માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પુર્ણ કરી દીધી છે.

શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા દિપેન નરેન્દ્ર ઇખાનકરના માતા મનિષાબેનને ડાયાબિટીસની સારવાર માટે રેસકોર્સ સર્કલ, આઇનોક્સ સિનેમા સામે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે બપોરે તેમને ભોજન આપવામાં આવ્યુ હતું.

(5:26 pm IST)