Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમદાવાદના વસ્ત્રાપુરમાં અગમ્ય કારણોસર મહિલા ડોકટરે ચોથા માળેથી પડતું મૂક્યું

અમદાવાદ:વસ્ત્રાપુરમાં આવેલા અદ્વૈત કોમ્પેલક્સના ચોથા માળેથી પડતુ મુકીને મહિલા ડોક્ટર મીતાબહેન માંકડે આત્મહત્યા કરી લીધી હતી.ચોથા માળેથી પડવા છતા શરીરમાંથી લોહી નીકળ્યું ન હતું પણ મલ્ટીપલ ફ્રેકચરને કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે હજી સુધી આપઘાત કરવાનું કારણ જાણવા મળ્યું નથી, એમ વસ્ત્રાપુર પોલીસે જણાવ્યું હતું. જોકે તેમણે ડિપ્રેશનને કારણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે.મીતાબહેનના પતિ પણ ડોક્ટર છે. ચાર દિવસ પહેલા જ વસ્ત્રાપુરમાં એક યુવકે લમણામાં ગોળી મારીને આપઘાત કર્યો હતો ત્યાં આપઘાતનો આ બીજો બનાવ બન્યો હતો.

(5:25 pm IST)