Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમદાવાદ વસ્ત્રાપુરમાં કોમ્પ્લેક્ષના ચોથા માળેથી પડતું મૂકીને મહિલા તબીબનો આપઘાત :અરેરાટી

અદ્વૈત કોમ્પ્લેક્સમાં મહિલા તબીબે ચોથામાળેથી ઝંપલાવ્યું :આત્મહત્યાના કારણની તપાસ

અમદાવાદના વસ્ત્રાપુરના આશરે 60 વર્ષીય મહિલા તબીબે કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. ઘટનાથી કોમ્પ્લેક્સના લોકોનું ટોળું એકઠું થયું હતું. અને108ને જાણ કરતા ટીમ આવીને તેમને હોસ્પિટલ લઇ ગઇ હતી.

   મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અદ્વૈત કોમ્પ્લેક્સમાં મહિલા તબીબે ચોથા માળેથી પડુતું મુક્યું હતું જેના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા.

   આ અંગે જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસને હજી સુધી મહિલા તબીબની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી.

(9:46 pm IST)