Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં એસિડ છાંટવાની ધમકીથી ડરી જઈ સગીરાએ ફાસો ખાધો

મહેસાણા:ના નાગલપુર વિસ્તારમાં આવેલ ઉમા શિવમ રેસીડેન્સીમાં એક સગીરાએ ઘરમાં પંખે લટકી ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. સગીરાના પિતાની અન્ય સ્ત્રી સાથે લીવ ઈન રિલેશનશીપ હતી. તે લીવઈન રીલેશનશીપનો કરાર તોડી નાખતા સામાપક્ષે મહિલા સહિતના આરોપીઓ વારંવાર ધમકીઓ આપી સગીરા પર એસીડ એટેકની ધમકી આપતા સગીરાએ ધમકીને પગલે આત્મહત્યા કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.  શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલ ઉમા શિવમ રેસીડેન્સીમાં રહેતા જ્યંતીભાઈ અંબાલાલ પટેલની ૧૬ વર્ષીય દિકરી ખુશી પટેલે રવિવાર સવારે ઘરમાં પંખે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આ અંગેની જાણ મહેસાણા શહેર બીડિવિઝન પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ લાશને નીચે ઉતારી સિવિલમાં પી.એમ. અર્થે ખસેડી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણી પર એસીડ એટેક કરવાની ધમકી મળી હતી. 
 

(5:35 pm IST)