Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મહિસાગરમાં નહાવા જતા પાંચ પટેલ યુવાન ડૂબ્યા

રાજકોટ તા. ૧૧ : અધિક માસની પૂરૂસોત્તમ અગિયારસનું પવિત્ર સ્નાન કરવા માટે મહીસાગર જિલ્લાના દેગમડા ગામે ગયેલા અરવલ્લીના માલપુર અને તેની આસપાસના પાંચ યુવાનો મહીસાગર નદીમાં ડૂબી ગયા હોવાનો કિસ્સો બન્યો હતો. મોડી સાંજ સુધી ભારે જહેમત બાદ પાંચ પૈકીના ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.

ડૂબી ગયેલાઓમાં કૃપાલ મનુ ભાઈ પટેલ (રહે. ગોવિંદપુર તા.માલપુર જિ.અરવલ્લી), ઈશાન અમૃતભાઈ પટેલ (રહે. ટીસકી તા.માલપુર જિ. અરવલ્લી), ધ્રુવ નરેશભાઈ પટેલ (રહે. ગોવિંદપુર તા.માલપુર જિ. અરવલ્લી)ના મૃતદેહ મળી આવ્યા હતી. જયારે અન્ય બે યુવાનો તૃષિત અરવિંદ પટેલ (રહે સોમપુર તા. માલપુર જિ. અરવલ્લી), પ્રજેશ કનુ પટેલ (રહે. ગોવિંદપુર તા. માલપુર જિ. અરવલ્લી)ની શોધખોળ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.

(3:49 pm IST)