Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 10,990 કેસ નોંધાયા :વધુ 15,198 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 118 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 8629 થયો : કુલ 5,63,133 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2,18,513 લોકોનું રસીકરણ કરાયું: સતત સાતમા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ

અમદાવાદમાં 3127 કેસ, વડોદરામાં 1057 કેસ, સુરતમાં 1055 કેસ,રાજકોટમાં 553 કેસ, જામનગરમાં 516 કેસ, જૂનાગઢમાં 473 કેસ, મહેસાણામાં 418 કેસ, ભાવનગરમાં 364 કેસ, ગાંધીનગરમાં 273 કેસ,મહીસાગરમાં 255 કેસ, આણંદમાં 231 કેસ,અમરેલી અને બનાસકાંઠામાં 212 કેસ,ખેડામાં 198 કેસ,પંચમહાલમાં 183 કેસ,કચ્છમાં 181 કેસ, ગીર સોમનાથમાં 180 કેસ, અરવલ્લીમાં 166 કેસ, દાહોદમાં 158 કેસ, સાબરકાંઠામાં 149 કેસ,પાટણમાં 145 કેસ,ભરૂચમાં 142 કેસ,નવસારીમાં 106 કેસ નોંધાયા:: હાલમાં 1,31,832 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 10,990 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 15,198 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 10,990 કેસ નોંધાયા છે જયારે વધુ 15,198 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 118 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 8629  થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 80,04 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,31,832 એક્ટિવ કેસ છે, જેમાંથી 798 લોકો વેન્ટિલેટર પર અને 1,31,034 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે, અત્યાર સુધીમાં કુલ  1,43,79,365 વ્યક્તિઓનું  રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 10,990 કેસમાં અમદાવાદમાં 3127 કેસ, વડોદરામાં 1057 કેસ, સુરતમાં 1055 કેસ,રાજકોટમાં 553 કેસ, જામનગરમાં 516 કેસ, જૂનાગઢમાં 473 કેસ, મહેસાણામાં 418 કેસ, ભાવનગરમાં 364 કેસ, ગાંધીનગરમાં 273 કેસ,મહીસાગરમાં 255 કેસ, આણંદમાં 231 કેસ,અમરેલી અને બનાસકાંઠામાં 212 કેસ,ખેડામાં 198 કેસ,પંચમહાલમાં 183 કેસ,કચ્છમાં 181 કેસ, ગીર સોમનાથમાં 180 કેસ, અરવલ્લીમાં 166 કેસ, દાહોદમાં 158 કેસ, સાબરકાંઠામાં 149 કેસ,પાટણમાં 145 કેસ,ભરૂચમાં 142 કેસ,નવસારીમાં 106 કેસ નોંધાયા છે

(7:43 pm IST)