Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અંકલેશ્વરમાં લગ્નના ચાર દિવસ આગાઉ ડોક્ટર યુવાનનો ગળેફાસો ખાઈ આપઘાત ;પરિવારમાં ઘેરા શોકની લાગણી

રાજપુત સમાજના આશાસ્પદ ડોક્ટર યુવકે પોતાના બંગલામાં પંખાના હુકમાં ચાદર વડે ફાંસો ખાદ્યો

અંકલેશ્વરમાં લગ્નના ચાર દિવસ અગાઉ ડોક્ટર યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે રાજપુત સમાજના આશાસ્પદ ડોક્ટર યુવકે પોતાના બંગલામાં પંખાના હુકમાં ચાદર વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ચકચાર મચી ગઇ હતી.

  મળતી વિગત મુજબ સુરત જિલ્લાના માંગરોલ તાલુકના એજ્યુકેશન હબ ગણાતા વાંકલની એન.ડી. દેસાઇ હાઇસ્કૂલમાં આચ્રાય પદે રામસિંહ વશી વર્ષોથી ફરજ બજાવતા હતા.  તેઓનાં બં સંતાન પૈકી બીજા નંબરો 28 વર્ષીય સુહાગસિંહ રામસિંહ વશીના ડોક્ટર બન્યા બાદ બંને ભાઇ મકાન નં-15 નક્ષત્ર બંગ્લોઝ અંકલેશ્વરમાં રહીને સ્થાયી થયા હતા.

    તેઓનું ગડખોલની ભૈયા નગરીમાં દવાખાનું ચાલતું હતું. આગામી 14મી મે 2019ના રોજ ડો. સુહાગસિંહ વશીના લગ્ન યોજાનાર હતાં. જેથી પરિવારમાં ભારે ઉત્સાહ હતો. દરમિયાન શુક્રવારે સવારે લગભગ નવેક વાગ્યે અંકલેશ્વર ખાતેપોતાના બંગલામાં બંને ભાઇઓ ઉપર નીચેના માળે ન્હાવા માટે બેડરૂમમાં ગયા હતા. મોટો ભાઇ વિરાજ વશી તૈયાર થઇને આવીને ડો. સુગાહસિંહ વશીને મોડું થતાં બુમ પાડી હતી.

સામેથી કોઇ અવાજ આવ્યો ન હતો. આખરે મોટાભાઇએ દરવાજાનું લોક તોડીને જોયું તો સામે પંખાના હુકમાં ચાદર લટકાવીને ફાંસો ખાઇ લીધો હતો.  જેના પગલે પરિવારમાં શોકની લાગમઈ ફેલાઇ છે

(10:52 pm IST)