Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ગાંધીનગર સે-4માં મકાનનો દરવાજો તોડી તસ્કરોએ 3 લાખની મતાની ચોરી કરી

ગાંધીનગર:શહેરના સે-૪માં રહેતો પરિવાર ઉનાળાની ગરમીમાં ધાબે સુઈ રહયો હતો ત્યારે તસ્કરોએ તેમના મકાનના દરવાજા અને લોખંડની જાળી તોડીને મકાનમાં પ્રવેશ કરી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા.૩.૬૯ લાખની મત્તા ચોરી પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

પાટનગર ગાંધીનગર શહેરમાં આમ તો શિયાળાની ઠંડીમાં જ તસ્કરો વધારે સક્રિય થતાં જોવા મળે છે પરંતુ હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તસ્કરો શહેરમાં મકાનોને નિશાન બનાવી રહયા છે.  શહેરના સે-૪/સી પ્લોટ નં.૧૨૪૫/ર માં રહેતા પુરુસોત્તમદાસ બબાભાઈ જાદવ તેમના પરિવાર સાથે નિવૃત જીવન વિતાવે છે. 

(5:31 pm IST)