Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

વડોદરા: ગોત્રી વિસ્તારમાં મંદિરમાંથી તસ્કરોએ ત્રણ દાનપેટીને નિશાન બનાવી ચાંદીના ઝુમ્મર સહીત દોઢ લાખની મતા ચોરી

વડોદરા:ગોત્રી વિસ્તારમાં આવેલા આત્મજ્યોતિ મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ત્રણ દાનપેટીમાંથી રોકડ તેમજ ભગવાનની મૂર્તિના ઉપરના ભાગે મુકેલું ચાંદીનું ઝુમ્મર સહિત રૃા.૧.૬૦ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.

પ્રાપ્ત માહિતિ મુજબ ગોત્રી રોડ પર ઇસ્કોન હાઇટ્સ પાછળ વાઘેલા બંગલોમાં રહેતા મહંત કરણસિંહ રણછોડ વાઘેલાએ પોતાના ઘરની બહાર આત્મજ્યોતિ મંદિરનું બાંધકામ કર્યું હતું. આ મંદિરમાં હરીહરેશ્વર મહાદેવનું મંદિર, રામદેવપીરનું મંદિર, ભાથીજી મહારાજનું મંદિર, સંત તુલસીદાસનું મંદિર અને અંબાજી મંદિર એમ પાંચ અલગ-અલગ દેવી દેવતાના મંદિરો બનાવ્યા છે.

(5:30 pm IST)