Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

બેન્ડ અને લેઝીમના દાવ સાથે

SGVPગુરુકુલમાં યોજાયેલ બાલ શિબિરના પૂર્ણાહૂતિ દિવસે નીકળેળ બવ્ય શોભાયાત્રામાં ૮૦૦ બાલ-બાલિકાઓ જોડાયા

અમદાવાદ તા. ૧૧ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને શા.વેદાન્તસ્વરુપદાસજી, સ્વામી.શ્રુતિવલ્લભદાસજી સ્વામી અને યજ્ઞવલ્લભદાસજી સ્વામીની આગેવાની નીચે સંસ્કારસભર બાલ-બાલિકા શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું,.

શિબિરના અંતિમ દિવસે ગુરુકુલ પરિસરમાં જોગી સ્વામીની કુટિરથી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

   જેમાં અમદાવાદનુ પ્રખ્યાત પુનમ બેન્ડ, ઠાકોરજીનો રથ, સાંખ્યયોગી બહેનોનો સમૂહ, બાપુનગર યુવકમંડળ બેન્ડ, લેઝીમના દાવ કરતા યુવકો અને યુવતીઓ, ધ્વજાધારી બહેનો અને ભાઇઓ વગેરે ૮૦૦ ઉપરાંત બાલ-બાલિકાઓ જોડાયા હતા.

(10:32 am IST)