Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

નર્મદામાં કોરોનાનો કહેર : રવિવારે ૩૮ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૪૭૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સોનીવાડમાં ૦૧, કાછીયાવાડમાં ૦૧, આરબ ટેકરા માં ૦૧, જોષી ખડકીમાં ૦૧, માલીવાડમાં ૦૧ તથા નાંદોદ તાલુકાના વડીયામાં ૦૧, ગોપાલપુરા માં ૦૧, ભદામ માં ૦૧, ચિત્રાવાડીમાં ૦૧ તથા ગરુડેશ્વર માં ૦૧,સાધિયામાં ૦૩, કેવડિયામાં ૦૧, કોયારીમાં ૦૧ તથા તિલકવાડામાં ૦૧ તથા ડેડીયાપાડા માં ૦૮, ગોપાલીયા માં ૦૧, સામોટ માં ૦૧, મોટા સુકાઆંબા માં ૦૧, બેસણામાં ૦૧, નિવાલદા માં ૦૧ તથા સાગબારાના પાટમાં ૦૪, કનખાડીમાં ૦૧, સેલંબા માં ૦૨, સાગબારામાં ૦૧, ખડકુની મા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૩૮ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૫ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૩ દર્દી દાખલ છે, આજે ૧૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૩૩૩ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૪૭૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૩૧૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:54 pm IST)