Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સુરતના વરાછામાં જમતી વેળાએ નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: મોટા ભાઈનો નાના ભાઈ પર જીવલેણ હુમલો: સારવાર દરમ્યાન મોત

સુરત:વરાછા પૂણા બોમ્બે માર્કેટ રોડ ઇશ્વરનગરમાં ગત રાત્રે જમતી વખતે છાશ ઢોળાતા થયેલા ઝઘડામાં મોટા ભાઇએ નાના ભાઇની છાતીમાં ચપ્પુનો એક ઘા મારતાં નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી મોટા ભાઈની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના તળાજાનો વતની અને સુરતના વરાછા પૂણા બોમ્બે માર્કેટ રોડ ઈશ્વર નગરમાં માતા ધીરૂબેન અને મોટાભાઈ રાજુ (ઉ.વ.૨૫) સાથે રહેતો ઘનશ્યામ ભુપતભાઈ વાળા (ઉ. વ. ૨૦) રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. પરંતુ છેલ્લા પખવાડિયાથી તે બેકાર હતો. દરમિયાન, ગત રાત્રે બંને ભાઈઓ માતાની હાજરીમાં જમવા બેસેલા હતા તે સમયે ઘનશ્યામથી છાશ ઢોળાતા તે સાફ કોણ કરશે ? તે બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન બોલાચાલી થતાં રાજુએ ઘનશ્યામને તને મારી નાખીશ તેમ કહેતા ઘનશ્યામે રાજુને ચપ્પુ આપી લે માર તેમ કહ્યું હતું.

(6:21 pm IST)