Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ગાંધીનગર નજીક પાલજમાં બપોરના સુમારે મંદિરમાં ચોરી કરનાર બે ચોરને પુજારીએ રંગે હાથે ઝડપી પોલીસ હવાલે કર્યા

ગાંધીનગર: શહેર નજીક પાલજ ગામે આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિરમાં આજે બપોરના સમયે બે ચોર યુવાનો ઘુસ્યા હતા અને માતાજીના નાના મોટા મુગટ ચોરી રહયા હતા. સમયે પૂજારી ત્યાં પહોંચી જતાં બન્ને યુવાનોને ચોરી કરતાં રંગેહાથ ઝડપી લીધા હતા અને ચિલોડા પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે પૂજારીની ફરિયાદના આધારે બન્ને ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરને અડીને આવેલા પાલજ ગામમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે બે યુવાનો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી મંદીરમાં રોકાતા પૂજારી કિરણભાઈ બળદેવજી ઠાકોરને તેમની પ્રવૃતિ શંકાસ્પદ લાગી હતી. જેથી મંદિરમાં જઈને જોતાં બન્ને શખ્સો તેમના ખિસ્સામાં માતાજીના છત્ર મુકી રહયા હતા. જેથી બંને ઝડપી પાડયા હતા અને ગામના અન્ય લોકોને ત્યાં બોલાવી લીધા હતા.

(6:18 pm IST)