Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

આદિવાસી તરૂણીની એકલતાનો લાભ ઉઠાવી નરાધમે દુષ્કર્મ ગુજારી બ્લેડના આઠથી દસ તીક્ષણ ઘા ઝીક્યા

ઝઘડિયાના ઉમલ્લા વિસ્તારમાં શેરડીના ખેતરમાં ચાર કાપવા ગયેલી તરુણીને હવસનો શિકાર બનાવાઈ

 

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાં શેરડીના ખેતરમાં ચાર કાપવા ગયેલી આદિવાસી તરૃણીનો એકલતાનો લાભ ઉઠાવી ૧૯ વર્ષીય નરાધમે તેણી ઉપર બળાત્કાર ગુજારી તરૃણીના ગળા ઉપર બ્લેડના આઠથી નવ જેટલા તિક્ષ્ ઘા કરી તેણીને મારી નાંખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. બનાવ સંદર્ભે ઉમલ્લા પોલીસે ફરીયાદ દાખલ કરી બળાત્કારીની પોસઇ આર.એમ.વસાવાએ શોધખોળ કરી એફએસએલની ટીમ વડે વધુ તપાસ હાથ ધરી છે.

    અંગેની વિગત મુજબ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારના ગામમા ગઇકાલે સવારના ૧૦.૩૦ કલાકના સમયે શેરડીના ખેતરમાં ચાર કાપવા માટે ગયેલી એક આદિવાસી તરૃણી ઉપર ૧૯ વર્ષીય નિરવ કિરણભાઇ વસાવા રહે. મહુવાડા, તા. ઝઘડિયાનાએ નજર બગાડી હતી. શેરડીના ખેતરમાં એકલી કામ કરતી તરૃણીને નિરવ વસાવાએ પકડી લઇ તેણીની ઉપર બળજબરી બળાત્કાર ગુજાર્યો હતો.

   તરૃણીએ બુમાબુમ કરતા બળાત્કારી નરાધમે તેણીને ગળામાં બ્લેડના તિક્ષ્ ઘા માર્યા હતા. શેરડીના ખેતરમાં તરૃણીનો એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણી ઉપર બળાત્કાર ગુજારી ગળામાં બ્લેડના આઠથી નવ જેટલા ઘા મારી તેને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. તરૃણીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે નજીકના સારવાર કેન્દ્રમાં ખસેડી હતી. વધુ સારવાર માટે તરૃણીને વડોદરા ખાતેની એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે તરૃણીએ ઉમલ્લા પોલીસ મથકે બળાત્કારી નિરવ કિરણ વસાવા વિરૃધ્ધ બળાત્કાર ઉપરાંત જાનથી મારી નાંખવાની ફરીયાદ નોંધાવી છે. ઉમલ્લા પોસઇ આર.એમ.વસાવા દ્વારા નરાધમની શોધખોળ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે એફએસએલની મદદ વડે પુરાવા એકત્ર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

   ઉમલ્લા પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ અનુસાર ૧૯ વર્ષીય નરાધમ નિરવ વસાવા પહેલા પણ અવાર નવાર તરૃણી સાથે શારિરીક અડપલા કરતો હતો. જો કે તરૃણી તેનાથી બચીને ભાગી જતી હતી. જ્યારે ગઇ કાલે સવારના સમયે શેરડીના ખેતરમાં તેણીને એકલી જોઇ નરાધમ તેણીને ખેતરના અંદરના ભાગે ખેંચી જઇ ત્યાં તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. તરૃણીએ બુમાબુમ કરતા તેણે પાકીટમાંથી બ્લેડ કાઢી તેણીને ગળામાં જીવલેણ ઘા માર્યા હતા.

(12:50 am IST)