Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અ'વાદ: વસ્ત્રાલમાં મહિલાને ઘરમાં ગોંધી રાખી અસામાજિક તત્વોએ ત્રાસ ગુજારતા ચકચાર

અમદાવાદ:શહેરમા ચોરી લૂંટ હત્યા નો સિલસિલો અટકાવાનું નામ નથી લઈ રહી. અસામાજિક તત્વોના ત્રાસથી લોકો રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. જેમા પોલિસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. અમદાવાદના રામોલ વિસ્તારમા એક મહિલાને ઘરમા બંધક બનાવી લૂંટી લેવામા આવી હતી. આ મહિલાએ પ્રતિકાર કરતા ચાર લૂંટારાઓ માર મારી સોના ચાઁદીના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા.

અમદાવાદનાં વસ્ત્રાલમા આવેલ કર્ણાવતી બંગલોમા એક મહિલાને બંધક બનાવી લૂંટ કરવામા આવી છે. નિધિ શર્મા ગત રાતે વૈષ્ણવદેવી દર્શન કરીને અમદાવાદ પરત ફર્યા હતા. રાત્રે સૂઇ ગયા બાદ ચાર આરોપી ચોરી કરવા માટે ઘૂસ્યા હતા. જેમા તેની પુત્રી જાગી જતા આરોપીઓ એ તેણે બંધક બનાવી હતી.

મુખ્ય માર્ગ પર આવેલ આ બંગલોમા આ પ્રકારની ઘટનાથી પોલિસની કામગીરી સામે સવાલો ઊભા થઇ રહ્યા છે. પોલિસના ઉચ્ચ અધિકારીઓ આ ફરર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(8:01 pm IST)