Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીની જાહેર થતા ગુજકેટની પરીક્ષાની તારીખમાં ચોથીવાર ફેરફાર

હવે નવી તારીખ મુજબ ગુજકેટની પરીક્ષા 26મી એપ્રિલે યોજાશે

 

અમદાવાદ :ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ છે જેમાં ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાશે પરંતુ દિવસે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ગુજસેટની પરીક્ષાઓ પણ યોજાવાની હતી. આથી, હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરી છે અને ગુજસેટની પરીક્ષા 26 એપ્રિલે યોજાશે.ગુજસેટની પરીક્ષાની તારીખોમાં ચોથી વાર ફેરફાર કરાયો છે .

હાલમાં રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યની એન્જનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજસેટ પરીક્ષાની તારીખ 23 એપ્રિલ જાહેર કરાઈ હતી. પરંતુ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ પણ 23 એપ્રિલ જાહેર કરાઈ હોવાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. હવે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાનના દિવસે સરકાર દ્વારા જાહેર રજા રાખવામાં આવતી હોય છે અને લોકોને મતદાન માટે પ્રેરિત કરાતા હોય છે. આથી, હવે મતદાન અને પરીક્ષાની તારીખ એક થઈ હોવાથી કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને ગુજસેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, ગુજરાત બોર્ડ દ્વારા તારીખ ઘણા સમય પહેલા જાહેર કરી દેવાઈ હતી

(11:37 pm IST)