Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગાંધીનગર નજીક કોલવડામાં ઉનાળાની પહેલા પાણીની સમસ્યાથી લોકોને હાલાકી

ગાંધીનગર:પાટનગરને અડીને આવેલા કોલવડા ગામથી ગાંધીનગર આવવાના રસ્તા ઉપર આવેલા ૨૦૦થી પણ વધુ મકાનોમાં છેલ્લા એક મહિનાથી પાણી પુરવઠો આપવામાં આવતો નથી. રોડ બનતો હોવાને કારણે બંધ કરવામાં આવેલો પુરવઠો રોડ બની ગયો હોવા છતા પણ શરૃ નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જો કે આ પાણીના પ્રાણ પ્રશ્ને સ્થાનિક રાજકારણીઓથી લઈને અધીકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમના દ્વારા પણ કોઈ ઠોસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. 

ગાંધીનગર નજીકના કોલવડા ગામમાં અગાઉ બોર ફેઇલ જવાને કારણે પાણીની પારાયણ મંડાઇ હતી ત્યારે ગામથી ગાંધીનગર આવવાના રસ્તા ઉપરા આવેલા ૨૦૦ જેટલા મકાનોમાં છેલ્લા એક મહિનાથી પાણી પુરવઠો નહીં આવતો હોવાને કારણે આ ગામમાં ફરી પાણીનો કકળાટ ઉભો થયો છે.

(5:36 pm IST)