Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

નડિયાદના ઠાસરામાં તસ્કરોનો તરખાટ:અલગ અલગ બે સોસાયટીમાં ચાર મકાનના તાળા તૂટ્યા:લાખોની મતાની ચોરી

નડિયાદ:ઠાસરા  શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.શહેરની અલગ બે સોસાયટીઓના ચાર મકાનોના તાળા તોડી લાખો રૂપિયાની મતા લઇ ફરાર થઇ ગયા છે. બનાવ  અંગે ઠાસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

ઠાસરા શહેરના બહુચરાજી મંદિર પાસે આવેલી અમન પાર્ક સોસાયટીમાં અને રેલ્વે સ્ટેશન પાસે આવેલ ક્રિષ્ના ટાઉનશીપમાં ગતરાત્રીએ તસ્કરોએ હાથ ફેરો કરી લાખો રૂપિયાની મતા ચોરી ફરાર થઇ ગયા છે.અમન પાર્ક સોસાયટીમાં રહેતા શાહીરઅલી મહંમદ અલી સૈયદ લગ્ન પ્રસંગમાં ગયા અને રાત્રીના સમયે તસ્કરોએ મુખ્ય તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઠાસરાની અમન સોસાયટીના એક માકાનમાં . લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે.તેમ છતા સ્થાનિક પોલીસ દ્વારા ડોંગ સ્કોર્ડ કે એફ.એસ.એલની મદદ લેવાતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. અગાઉ પણ મહિના પહેલા  શહેરના બંધ મકાનોમાં ચોરીઓ થઇ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. અંગે સ્થાનિકોનુ માનીએ તો તેઓ જણાવે છે કે પોલીસ પેટ્રોલીંગને પણ તસ્કરો ધોળી પી ગયા હોવાનુ જણાવ્યુ હતુ.

(5:31 pm IST)