Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

નડિયાદના નારાયણનગરમાં બીમારીથી કંટાળી યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

નડિયાદ શહેરની નારાયણનગર સોસાયટીમાં રહેતો વિપુલ કાંતીલાલ પરમાર (ઉ. વ. ૩૫)છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. ઘણી સારવાર કરવા છતાં બીમારી દૂર ન થતી હોય તે કંટાળી ગયો હતો. 
કાલે આ યુવાન ઘરે એકલો હતો ત્યારે છતના હૂક સાથે દોરી બાંધી ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીઘો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને પીએમ માટે મોકલી આપીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 

(5:05 pm IST)