Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અમદાવાદમાં વણીકર ભવનના કબજાનો વિવાદ :ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

એએચપી અને વિએચપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

અમદાવાદમાં પાલડી સ્થિત ડૉકટર વણીકર ભવનના કબ્જોના વિવાદ હજુ વણ ઉકેલ્યો છે. અને આજે વણકરી ભવન ખાતે સઘન પોલીસ  બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓ વણીકર ભવન ખાતે ઉપસ્થિત છે.

 બીજી તરફ,  આંતરરાષ્ટરીય હિન્દુ પરિષદના પ્રમુક પ્રવીણ તોગડિયા પણ આજે વણીકર ભવન ઉપસ્થિત રહી શકે છે. ત્યારે એએચપી અને વિએચપી  કાર્યકરો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.

(10:54 pm IST)