Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અમદાવાદ જિલ્લા તલાટી મંડળ અને વિરમગામ તાલુકા તલાટી મંડળના પ્રમુખને સન્માનિત કરાયા

એપીએમસી વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અમૃતભાઈ મજેઠીયા અને વિરમગામ તાલુકા તલાટી મંડળના પ્રમુખ કમલેશભાઈ ઓગણીયાનું સન્માન કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : નવનિયુક્ત અમદાવાદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અમૃતભાઈ મજેઠીયા અને વિરમગામ તાલુકા તલાટી મંડળના પ્રમુખ કમલેશભાઈ ઓગણીયાનું  એપીએમસી વિરમગામ મુકામે સન્માન કરવામાં આવ્યું હતુ

 આ પ્રસંગે વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, મહામંત્રી રમેશભાઈ કો પટેલ,  પૂર્વ કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ  શક્તિસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી પ્રવિણ સિંહ, અખિલ ભારતીય કોળી સમાજ વિરમગામ પ્રમુખ મહેન્દ્રભાઈ, રસિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.( તસવીરઃ રસીક કોળી (રૂપાવટી)

(5:28 pm IST)