Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજપીપળામાં આજથી શરૂ થયેલી હોટલ નૂરની આવકનો 1 ટકા હિસ્સો મિત ગ્રૂપને સેવાકાર્યમાં અપાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સમાજ સેવક અને પત્રકાર  ઈરફાનભાઈ બલુચીની આજે હોટલ નુર વેજ- નોનવેજનું મિતગ્રુપ પ્રમુખ જીજ્ઞેશભાઈ વસાવાના હસ્તે ઉટ્ઘાટન કરાવવામાં આવ્યું હતું.  ઉદ્ઘાટન પ્રસંગે નુર હોટલના મલિક ઇરફાનભાઈએ જણાવ્યું કે નૂર હોટલની રોજની આવકમાંથી ૧% ભાગ મિતગ્રુપને સેવાના કામમાં આપશે.માટે મિતગ્રુપે ઈરફાન ભાઈ તથા નુર હોટેલનો આભાર વ્યક્ત કરી મિતગ્રુપના સેવાકાર્યમાં માનસન્માન સાથે આવકમાંથી સેવાના કામમાં ફન્ડીંગ આપવાનો ઉત્તમ વિચાર હોય મિત ગ્રુપ તેમના આ ફન્ડિંગ સાથે વધુ સારી સેવાકીય પ્રવૃત્તિ કરશે તેવી મિત ગ્રૂપના પ્રમુખ જીજ્ઞેશભાઈ એ આશા વ્યક્ત કરી હતી.

(10:43 pm IST)