Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગુજરાતમાં ગરીબીથી કંટાળીને આપઘાત કરવાના બનાવમાં ર૦૧૮ માં ૧૬ર%નો વધારો

બેકારીને કારણે આત્મહત્યાના બનાવો ર૧% વધ્યા

અમદાવાદ : ગુજરાતમાં ર૦૧૮ ની સાલમાં 'ગરીબી' થી પરેશાન થઇ ને ર૯૪ લોકોએ આપઘાત કરી લીધા હતાં. એનસીઆરબીનો રિપોર્ટઃ ૩૧૮ લોકોએ બેકારીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. ર૦૧૭ કરતા ર૦૧૮ માં ગરીબીને કારણે મોત માંગવાના બનાવમાં ૧૬ર ટકાનો વધારો નોંધાયો છે. જયારે બેકારીનો આંક ર૧ ટકા વધ્યો છે. અમદાવાદમાં બેકારીને કારણે ૩૧-એ  તો વડોદરામાં ૧૮ લોકોએ  મોત માંગી લીધું હતું. દેવાળુ ફુંકવાને કારણે ૬૭ લોકો એ તો કેરિયરને લઇને ૧૩૬ લોકો એ આપઘાત કર્યો હતો.

(3:49 pm IST)